સોલાર રૂફટોપ યોજના 2023

Are You Finding For Solar Rooftop Yojana | શું તમે સોલાર રૂફટોપ યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં ગુજરાત સોલાર રૂફટોપ યોજના 2023 વિષે ટૂંકમાં માહિતી જણાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

તમે Solar Rooftop Yojana મેસેજ તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની તેમને આ યોજના વિષે માહિતી આપી શકો છો.અહીંથી તમને સોલાર રૂફટોપ યોજના વિશેની તમામ માહિતી જણાવીશું.

સોલાર રૂફટોપ યોજના : આ પોસ્ટ તમને તમારા મિત્રોને અથવા અન્યને આ યોજના વિષે સંપૂર્ણ માહિતી મોકલવામાં મદદ રૂપ થશે. Here we are providing Solar Rooftop Yojana । સોલાર સૂર્ય-ઉર્જા યોજના । Solar Rooftop yojana online Apply | સોલાર સૂર્ય-યોજના સબસીડી.

સોલાર રૂફટોપ યોજના વિષે ટૂંકમાં માહિતી

દેશ અને દુનિયામાં ટેકનોલોજીમાંં વિવિધ સુધારાઓ થઈ રહ્યા છે. દુનિયામાં પેટ્રોલ, ડિઝલ અને કોલસા તેનો વપરાશ વધી રહ્યો છે. આ કુદરતી સંશાધનો મર્યાદિત છે. તેનો વધારો થઈ એમ નથી. જે કાળક્રમે પૂરો પણ થઈ શકે છે.

જેથી કુદરતી ઉર્જાનો ઉપયોગ વધારવો પડશે. જેને ધ્યાનમાં રાખીને પવન ઉર્જા, સૌર ઉર્જા વગેરે વપરાશ વધારી રહ્યા છીએ. સરકાર પણ સૌર ઉર્જા વધે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવે છે.

જેવી કે બેટરી સંચાલિત વાહનો પર સબસીડી, સોલાર રૂકટોપ યોજના વગેરે. મિત્રો આજે આપ્ણે સોલાર રૂકટોપ યોજના 2023 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું .ગુજરાત સરકાર દ્વારા આપણે ધ્યાનમાં રાખીને સોલાર રુફ્ટોપ યોજના (Solar Rooftop Yojana 2023) શરૂ કરવામાં આવેલી છે.

Table Of Solar Rooftop Yojana

યોજનાનું નામ સોલાર રૂફટોપ યોજના 2023
કોના દ્વારા અમલમાં મુકવામાં આવેલ Ministry of New & Renewable Energy (MNRE) Government of India
ક્યા લાભાર્થીઓ મળશે? ભારતના નાગરિકો
કેટલી સબસીડી મળવાપાત્ર થાય 20% થી લઈ ને 40% સુધી મળવા પાત્ર
સોલાર પેનલની સમય મર્યાદા 20 વર્ષ સુધી
Official website solarrooftop.gov.in
Solar Energy Helpline No. 1800 2 33 44 77

સોલાર રૂફટોપ યોજનાનો હેતુ

સોલાર રૂફટોપ યોજનામાં અંદર ઉર્જા ઉત્પન્ન કરતી સોલાર પેનલ હોય છે. આ સોલાર પેનલનો ઉપયોગ વિવિધ ઊર્જા મેળવવા માટે થાય છે. આ સિસ્ટમનો એક મોટો ફાયદો એ છે કે, તે માત્ર નાની જગ્યા રોકે છે અને ખૂબ સારા પ્રમાણમાં સૌર ઊર્જા ઉત્પન્ન કરે છે.

જો આપણે પૃથ્વી પર રહેલા કુદરતી સંસાધનોની રક્ષા કરવી હોય તો પરંપરાગત ઉર્જાનો વપરાશ વધારવો પડશે. જેમ કે પર્યાવરણનો મુખ્ય ઊર્જાનો સ્રોત સૂર્ય ઉર્જા તેમજ પવન ઉર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરી શકાય છે.

જે પર્યાવરણ માટે પણ નુકસાનકારક નથી. આપણે કુદરતી ઊર્જાનું ઉત્પાદન કરવા માટે, સૌર ઉર્જા સ્રોતનો ઉપયોગ કરવો જોઈએ.

  • રાજ્યમાં હરિત અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવું.
  • કાર્બનનું ઉત્સર્જન ઘટાડવું.
  • અશ્મીભૂત ઇંધણો ઉપર નિર્ભરતા ઘટાડવી.
  • સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા યોજનાના લક્ષ્ય પ્રાપ્ત કરવા.

Eligibility Criteria for સોલાર રૂફટોપ યોજના

ગુજરાત સરકારે વર્ષ 2009માં ગુજરાત સૌર ઉર્જા નીતિ જાહેર કરી છે. સૌર ઉર્જા નીતિના ભાગરૂપે સરકાર પોતાની છત ઉપર સૌર પેનલ સિસ્ટમ સ્થાપવા ઇચ્છતા લોકોને વિવિધ પ્રોત્સાહન પૂરું પાડે છે. સોલાર રૂફ ટોપ યોજના વર્ષ 2012માં શરૂ કરવામાં આવી હતી.

  • સોલાર રૂફ્ટોપ સિસ્ટમ વપરાયેલ સોલાર સેલ અને સોલાર મોડયુલ ભારતમાં ઉત્પાદિત થયેલ હોવા જોઈએ.
  • કોમન સુવિધાઓ માટેના વીજ જોડાણો માટેના સોલાર સિસ્ટમ સ્થાપવા માટે તે જગ્યાની માલકી તે ગ્રૂપ હાઉસિંગ સોસાયટી / રેસિડેન્સિયલ વેલ્ફેર એસોસિયેશન(RWA)ની હોવી જોઈએ.
  • જે ફીડર પર દિવસ દરમ્યાન કાયમી 3- ફેઝ વીજ પુરવઠો મળતો હોય, માત્ર તે ફીડરના જ રહેણાંક હેતુના વીજ જોડાણને 3-ફેઝ સોલાર સિસ્ટમની મંજૂરી મળી શકશે.

સોલાર રૂફટોપ યોજના માટે જરૂરી દસ્તાવેજો

  • વિક્રેતા, લાભાર્થી અને ડિસ્કોમ અધિકારી દ્વારા હસ્તાક્ષર કરાયેલ સોલર સિસ્ટમ કમિશનિંગ રિપોર્ટ
  • રૂફટોપ સોલર સિસ્ટમ સેટઅપ માટે વેન્ડર તરફથી ચૂકવણીનું બિલ/પ્રમાણપત્ર
  • 10kw કરતાં વધુ સેટઅપ: Cei દ્વારા ચાર્જિંગ પરવાનગી માટેનું પ્રમાણપત્ર
  • 10kw કરતાં ઓછું સેટઅપ: ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અથવા કોન્ટ્રાક્ટરનું પ્રમાણપત્ર
  • સંયુક્ત સ્થાપન અહેવાલ જે લાભાર્થી અને સૂચિબદ્ધ વિક્રેતા દ્વારા હસ્તાક્ષર કરેલ ઇન્સ્ટોલેશન વિશે પ્રદાન કરે છે.

Benefits Of Solar Rooftop Sahay Yojna

  • જે પણ વ્યક્તિ આ સોલાર રૂફટોપ યોજનાનો લાભ લે છે, તેમને પાંચ વર્ષ દરમિયાન યોજનાનું વળતર મળી જાય છે.
  • દર યુનિટ 2.50 રૂપિયાના લેખે આપવામાં આવે છે અને આખરે સરકાર રૂપિયા એ દરેક બેંકના એકાઉન્ટ માં જમા કરાવી દેવા.
  • કેન્‍દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી, આ યોજના હેઠળ કંપનીએ પાંચ વર્ષ સુધીની મેન્ટેનન્સની ગેરંટી આપે છે.
  • અને આ લાભ લેવાથી તમે દર મહિને કરવા પડતાં વીજળીના બિલ ની રાહત મળી શકે છે.

1. મફત વીજળી

સોલર પ્લાન્ટ લગાવવાનો ખર્ચ અંદાજે 5 વર્ષ માં વસૂલ થઈ જશે, પછી ઉત્પન્ન થયેલ વધારાની વીજળી બાકીના 20 વર્ષ સુધી મફત મળશે, આમ ઈન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ પણ આ યોજના ખૂબ જ ફાયદાકારક છે.

2. વધારાની વીજળી વીજ કંપની ખરીદશે

જો વપરાશ કરતાં વધારે વીજળી ઉત્પન્ન થતી હશે તો તે ગ્રીડમાં જશે, જે વીજનિયમન પંચ દ્વારા નક્કી થયેલ ભાવ મુજબ 25 વર્ષ સુધી વીજ કંપની દ્વારા ખરીદવામાં આવશે અને નિયત રકમની ચૂકવણી પણ કરવામાં આવશે.

3. આવકમાં વૃદ્ધિ

તમારા વપરાશ સિવાયના યુનિટ rs.2.25/Unit લેખે વીજ કંપની ખરીદી લેશે દરેક નાણાકીય વર્ષ ને અંતે વીજબિલ માં જમા થતી વધારાની રકમ આપના બેન્ક ખાતામાં મોકલવામા આવશે.

4. 5 વર્ષ માટે મફત મેઈન્ટેનન્સ

સોલર રૂફ ટોપ પ્લાન્ટ સ્થપાયા બાદ જે તે એજન્સી ૫ વર્ષ સુધી સિસ્ટમનું વિનામુલ્યે મેન્ટેનન્સ કરશે.

ગુજરાત સોલાર રૂફટોપ યોજના માટે મહત્વના દસ્તાવેજ

  • નવીનતમ વીજ બિલની નકલ.
  • નવીનતમ મ્યુનિસિપાલિટી ટેક્સ અથવા ઇન્ડેક્સ-2 ની નકલ.
  • આધાર કાર્ડની નકલ.
  • પાન કાર્ડની નકલ.
  • પાસપોર્ટ સાઈઝ ફોટો-3 નકલ.
  • સંપર્ક નંબર.

Nodal Agency for implementation of Solar Rooftop Yojna

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડને આ યોજનાના અમલીકરણ માટે નોડલ એજન્સી નિમવામાં આવેલ છે. આ યોજનાનું અમલીકરણ અને સબસીડી વિતરણ રાજ્યની વીજ વિતરણ કંપનીઓ થકી કરવામાં આવશે.

સોલાર રૂફટોપ યોજનાની સબસીડી

ભારત સરકાર દ્વારા આપવામાં આવતી Solar Rooftop Yojana Subsidy નીચે મુજબ આપેલી છે:

ક્રમ કુલ ક્ષમતા કુલ કિમત પર સબસીડી
1. 3 KV સુધી 40%
2. 3 KV થી 10 KV સુધી 20%
3. 10 KV થી વધુ સબસીડી નહિ મળે

સૂર્ય રૂફટોપ યોજના કેલકયુલેશન

Solar Rooftop Yojana 2022: ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે. આ સોલાર રૂફટોપ યોજના દ્વારા તમે યોજના હેઠળ ખર્ચ, ઉર્જા વગેરેની ગણતરી કરી શકો છો.

જો પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો, કેન્‍દ્ર સરકાર દ્વારા આ યોજના માટે Solar Rooftop Yojana Calculator સેવા ચાલુ કરવામાં આવેલી છે.

Sarkar Benefit For સોલાર રૂફટોપ યોજના 2023

સરકારે દેશના કેટલાક રાજ્યો માટે આ યોજના શરૂ કરી છે. આ રાજ્યોમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, J&K, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ સહિત ઘણા પૂર્વોત્તર રાજ્યોનો સમાવેશ થાય છે.

જે સોલર સિસ્ટમ સેટઅપ પર 70% સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ સબસિડી ઘરગથ્થુ, ઔદ્યોગિક અને સામાજિક ક્ષેત્ર એટલે કે હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે માટે લાગુ પડે છે.

તેમજ વ્યાપારી ક્ષેત્ર પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ સૌર ઉર્જા પ્રણાલીનો ઉપયોગ કરનારને માત્ર રૂ.6.50/kWh ચૂકવવા પડે છે.જે ડીઝલ જનરેટર અને સામાન્ય વીજળીની સરખામણીમાં ખૂબ જ ઓછા છે.

દર વર્ષે આશરે 60 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડના ઘટાડાને પરિણામે આ યોજનાનો અમલ હવામાનને રક્ષણાત્મક બનાવવા માટે પણ મદદ કરે છે. તેથી આખરે તે પર્યાવરણ અને આરોગ્ય બંને માટે સલામત છે.

સોલાર રૂફટોપ લગાડવા કેટલી જગ્યા હોવી જરીરી છે?

Solar Rooftop system Setup નો દર વિદ્યુત જનરેટર સિસ્ટમ કરતાં પણ ઓછો આવે છે. અને આ રોકાણ માત્ર એક વખતનું રોકાણ છે. જે Light Bill તરીકે ચૂકવવાથી ઘણા પૈસા બચાવે છે.

તેમજ આ સોલાર સિસ્ટમ ઈન્સ્ટોલ કર્યા બાદ, તેને અન્ય કોઈ ખર્ચની જરૂર નથી. તેમજ લોકો આ યોજનાનો ઉપયોગ કરીને તેમની પોતાનું લાઈટ બિલ બચાવી રહ્યા છે.

Total Cost For સોલાર રૂફટોપ યોજના 2023

Solar Rooftop નો દર વિદ્યુત જનરેટર સિસ્ટમ કરતાં પણ ઓછો આવે છે. અને આ રોકાણ માત્ર એક વખતનું રોકાણ છે. જે Light Bill તરીકે ચૂકવવાથી ઘણા પૈસા બચાવે છે.

તેમજ આ સોલાર સિસ્ટમ ઈન્સ્ટોલ કર્યા બાદ, તેને અન્ય કોઈ ખર્ચની જરૂર નથી. તેમજ લોકો આ યોજનાનો ઉપયોગ કરીને તેમની પોતાનું લાઈટ બિલ બચાવી રહ્યા છે.

સૂર્ય રોફટોપ યોજના લાગવાની કદ

  • આ યોજનામાં વીજ ગ્રાહક એક કિલોવોટ DC કે તેથી વધુ કોઈપણ ક્ષમતાની સોલાર સિસ્ટમ બેસાડી શકશે
  • સબસિડી વધુ વધુ 10 કી.વોની ક્ષમતા સુધી મર્યાદિત રહેશે.
  • GHS/ RWAની કોમન સુવિધાઓના વીજ જોડાણો માટે સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવા માટેની ક્ષમતા ઘર દીઠ 10
  • કિલોવોટની મર્યાદામાં વધુમાં વધુ કુલ 500 કિલોવોટ સુધી રહેશે.

Subsidy for Previously Installed Solar Rooftop Yojna

અગાઉ કાર્યાન્વિત કરેલ સોલાર સિસ્ટમની ક્ષમતા 10 કિ.વો. કરતા ઓછી હોવી જોઇએ. અગાઉ કાર્યાન્વિત કરેલ સોલાર સિસ્ટમની ક્ષમતા વધારો કર્યા સાથેની સોલાર સિસ્ટમની કુલ ક્ષમતા 3 કિ.વો. સુધી હોય તો માત્ર વધતી સોલાર ક્ષમતા પર 40% સબસીડી મળવા પાત્ર રહેશે.

જો વધારો કર્યા સાથેની સોલાર સિસ્ટમની કુલ ક્ષમતા 3 કી.વો થી વધુ અને 10 કિ.વો કે તેથી ઓછી હોય તો માત્ર વધારેલ સોલાર ક્ષમતા પર 20% સબસીડી મળવા પાત્ર રહેશે. 10 કિ.વો.થી વધુ કુલ સોલાર સિસ્ટમની ક્ષમતા પર સબસીડી મળવાપાત્ર રહેશે નહી.

સોલર રૂફટોપ યોજના માટે સબસિડી પૂરી પાડવા જવાબદાર મંત્રાલય. સબસિડી ભારત સરકારના નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રાલય (MNRE) પાસેથી મળવાપાત્ર કેન્દ્રીય નાણાકીય સહાય જેટલી જ રકમ રાજ્ય સરકાર પાસેથી મેળવી શકાશે.

એક સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર એમ બન્ને પાસેથી સબસિડી મેળવી શકાશે નહીં. વીજ વિતરણ કાંપનીઓને સર્વિસ ચાર્જિસ અને કેપેસિટી બિલ્ડિંગ ચાર્જિસની સહાય રાજય સરકાર દ્વારા કરવામાં આવશે.

ગુજરાત સોલાર રૂફટોપ યોજના સબસીડી એજન્સી લિસ્ટ અને ફોન નંબર

સોલાર રૂફટોપ સબસીડી લિસ્ટ અને ફોન નંબર જોવા માટે અહીં ક્લિક કરો

સોલારમાં 25 વર્ષ શુધી કઈ રીતના બચત થાય?

સૌર ઉર્જાના ઉપયોગ થકી આપણે વાતાવરણને પ્રદુષિત થતાં તો અટકાવી જ શકીએ છીએ પરંતુ સાથોસાથ વીજબિલમાં પણ બચત કરી શકીએ છીએ. આમ આ સરકારી યોજનામાં રોકાણ કર્યા બાદ લાંબા ગાળાનું તારણ કાઢીએ તો 20 થી 25 વર્ષ સુધી આવતા વીજબિલ  પણ બચાવી શકાય છે.

સોલાર રૂફટોપ યોજના Toll Free No.

ટોલ ફ્રી નંબર (Toll free number) 1800-180-3333

સોલાર રૂફટોપ યોજના Helpline No.

હેલ્પ લાઈન નંબર  1800 2 33 44 77

સોલાર રૂફટોપ યોજના Email Id

Email : [email protected]

FAQ’s સોલાર રૂફટોપ યોજના 2023

સોલાર રૂફટોપ યોજના શું છે?

સોલાર રૂફટોપ યોજના શું છે?
ગુજરાત સોલાર રૂફટોપ યોજના એ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન દ્વારા સૌર ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રાજ્ય દ્વારા શરૂ કરાયેલ સરકારી યોજના છે.

Solar Rooftop Yojana માટે કોણ પાત્ર છે?

ગુજરાત રાજ્યના તમામ રહેણાંક, સંસ્થાકીય, સામાજિક અને સરકારી ક્ષેત્રના વપરાશકર્તાઓ આ યોજના માટે પાત્ર છે.

સોલાર રૂફટોપ યોજનાની અધિકૃત વેબસાઇટ કઈ છે?

આ યોજનાની અધિકૃત વેબસાઇટ https://solarrooftop.gov.in/ છે.

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સોલાર રૂફટોપ યોજના 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!