Breking News : ₹ 2000 નોટ પર RBI એ આપ્યું મોટું અપડેટ

₹ 2000 નોટ પર RBI એ આપ્યું મોટું અપડેટ : 2000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે RBI હવે 1000 રૂપિયાની નોટ બજારમાં રજૂ કરશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા શુક્રવારે 2000 રૂપિયાની નોટને લઈને મહત્ત્વની માહિતી આપી હતી અને હવે એ જ અનુસંધાનમાં એક બીજી મહત્ત્વની માહિતી સામે આવી રહી છે.

આ મહત્ત્વની માહિતી 1000 રૂપિયાની નોટ સંબંધિત છે. આરબીઆઈના ગવર્નર દ્વારા ગઈકાલે 2000 રૂપિયાની નોટને લઈને જણાવવામાં આવ્યું હતું કે 87 ટકા નોટ પાછી આવી ગઈ છે અને 10,000 કરોડની કિંમતની નોટ હજી પણ બજારમાં છે.

₹ 2000 નોટ પર RBI એ આપ્યું મોટું અપડેટ

પરંતુ આરબીઆઈના અપડેટ બાદ સોશિયલ મીડિયા પર એવો સવાલ ઉપસ્થિત કરવામાં આવી રહ્યો છે કે શું 2000ની નોટને બદલે 1000 રૂપિયાની નવી નોટ પાછી ચલણમાં મૂકવામાં આવશે? આરબીઆઈ દ્વારા લોકોના મનમાં આવેલી આ શંકાનો નિવેડો લાવતા જણાવ્યું હતું કે આરબીઆઈ દ્વારા 1000 રૂપિયાની નોટ લાવવાની કોઈ યોજના નથી.

તે જ પૃષ્ઠભૂમિમાં, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ કહ્યું છે કે તે 1000 રૂપિયાની નોટને બજારમાં ફરીથી રજૂ કરશે નહીં. સમાચાર એજન્સીએ સૂત્રોને ટાંકીને આ અંગે માહિતી આપી છે. પરંતુ હાલમાં RBI તરફથી 1000 રૂપિયાની નોટ લાવવા અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

તો 1000 રૂપિયાની નવી નોટ લાવવા અંગે વિચારી રહ્યું છે. એએનઆઈ દ્વારા એક્સ પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે 1000 રૂપિયાની નોટ પાછી લાવવાનું કોઈ પ્લાનિંગ નથી.

તમારી પાસે હોય તો ખાસ જાણો..

આરબીઆઈ દ્વારા પોતાના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે માર્કેટમાં કેશ ફ્લો બનાવી રાખવા માટે સરકારે 500 રૂપિયાની પૂરતી નોટ છાપી રાખી છે, જેથી લોકોને કેશ સંબંધિત મુશ્કેલી ના પડે. બીજી બાજું ડિજિટલ પેમેન્ટના ઉપયોગથી લોકો વચ્ચે કેશની જરૂરિયાત ઘટી ગઈ છે.

આવી પરિસ્થિતિમાં આરબીઆઈનું એવું જણાવ્યું હતું કે 1000 રૂપિયાની નોટ લાવવાની કોઈ આવશ્યક્તા જ નથી અને લોકોએ આવી અફવાઓથી દૂર રહેવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 2016માં નોટબંધી કરીને 1000 રૂપિયા અને 500 રૂપિયાની નોટ પાછી ખેંચી લીધી હતી.

ત્યાર બાદ 500 રૂપિયા અને 2000 રૂપિયાની નવી નોટ બહાર પાડી હતી. પરંતુ હવે આરબીઆઈ દ્વારા આ 2000 રૂપિયાની નવી ચલણી નોટ પણ ખેંચવાની જાહેરાત કરી હતી. 2000 રૂપિયાની નોટો ધરાવનાર તમામને 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકોમાં જમા કરાવવા માટે કહેવામાં આવ્યું હતું.

કેટલીક જગ્યાએ 2000 રૂપિયાની નોટ જમા કરવાની

ભારતીય રિઝર્વ બેંક 1000 રૂપિયાની નોટ બહાર પાડશે નહીં. આરબીઆઈએ એમ પણ કહ્યું છે કે ચલણમાંથી રૂ. 2000ની નોટો પાછી ખેંચી લીધા બાદ આરબીઆઈનો રૂ. 1000ની નોટ જારી કરવાનો કોઈ ઈરાદો નથી. બાકીની નોટો પણ બેંકોમાં પરત ફરી રહી છે. પરંતુ આ પછી આ અટકળોનો અંત આવ્યો હોય તેમ લાગી રહ્યું છે.

હાલમાં જ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો હતો. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે લગભગ તમામ રૂ. 2 હજારની નોટો બેંકોમાં પાછી આવી ગઈ છે. 10000 કરોડની માત્ર 2000 રૂપિયાની નોટો જ બેંકોમાં જમા થઈ નથી.

આરબીઆઈનું ધ્યાન સ્થિરતા પર છે?

દિલ્હીમાં આજે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે ભારતની નાણાકીય સ્થિરતા, ક્રૂડ ઓઈલના ભાવ અને રૂપિયાની અસ્થિરતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વૈશ્વિક આર્થિક વધઘટ વચ્ચે રૂપિયાની સ્થિરતા પર પણ ભાર મૂક્યો હતો.

આ માટે હવે કેટલીક જગ્યાએ 2000 રૂપિયાની નોટ જમા કરાવવાની જોગવાઈ કરવામાં આવી છે. 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લીધા પછી, એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે રિઝર્વ બેંક બજારમાં 1000 રૂપિયાની નાની નોટો ફરીથી રજૂ કરી શકે છે.

શા માટે એવું કરે છે?

રિઝર્વ બેન્કના ગવર્નરે વર્તમાન નાણાકીય પરિસ્થિતિની જટિલતા પર પ્રકાશ પાડ્યો છે. ડોલર ઇન્ડેક્સ નોંધપાત્ર રીતે મજબૂત થયો છે. યુ.એસ.માં બોન્ડ યીલ્ડ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે. તેણે એમ પણ કહ્યું કે સેન્ટ્રલ બેંક રૂ. 1,000ના મૂલ્યને ફરીથી રજૂ કરવાની યોજના નથી બનાવી રહી.

પરંતુ આ વર્ષે 1 જાન્યુઆરીથી ભારતીય રૂપિયાની વોલેટિલિટીને જોતા રૂપિયો 0.6 ટકા તૂટ્યો છે. જ્યારે યુએસ ડોલર સમાન સમયગાળામાં 10 ટકા તૂટ્યો છે. આરબીઆઈ ગવર્નરે ભારતના નાણાકીય ક્ષેત્રની તાકાતનો પુનરોચ્ચાર કર્યો છે.

ઉપરાંત, પાછલા પખવાડિયામાં ક્રૂડ ઓઇલ અને બોન્ડ માર્કેટમાં તાજી અનિશ્ચિતતાઓ અને અસ્થિરતા હોવા છતાં, ભારતના આર્થિક ફંડામેન્ટલ્સ મજબૂત છે. તેમણે ખાસ કરીને રિટેલ ફુગાવાના સંચાલનમાં આરબીઆઈની તકેદારી પર પ્રકાશ પાડ્યો હતો.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ₹ 2000 નોટ પર RBI એ આપ્યું મોટું અપડેટ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : [email protected]
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment